॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૭: દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું

પ્રસંગ

સંવત ૧૯૪૫, મહુવા. ભગતજીએ પોતાના અનન્ય શિષ્યોને અપાર સુખ આપી ગુજરાત જવા આજ્ઞા કરી. આ દરમ્યાન ભગતજી અને શામજીભાઈ રોજ ગોપનાથના મંદિરમાં જઈને દર્શન તથા કથાવાર્તાનું સુખ આપતા. છેલ્લે દિવસે વચનામૃત ગઢડા અંત્ય ૩૭ વંચાવીને વાતો કરી, “જે જે ભારે ચીજો આપણે ખાધી હોય તે સંભારીએ ત્યારે કદીય કોદરા ખાવાનો પ્રસંગ આવે તો પણ આનંદમાં રહેવાય. ઝાંખા ન પડાય. તેમ સત્પુરુષ થકી જે જે વાતો સાંભળી હોય, દર્શન પ્રસાદીનું સુખ લીધું હોય, તે જ્યારે સત્પુરુષના પ્રસંગમાં રહેવાનો જોગ ન રહે ત્યારે સંભારવું અને સુખ લેતા શીખવું, પણ કોઈ દિવસ ઝાંખા તો પડવું જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૫૬]

Samvat 1945, Mahuvā. Bhagatji Mahārāj gave his shishyas unparalleled bliss and commanded them to go to Charotar. During this time, Bhagatji Mahārāj and Shāmjibhāi went to Gopnāth mandir daily to give the bliss of darshan and kathā.

On the last day, Bhagatji had Gadhada III-37 read and said, “If one currently encounters the misfortune of having to eat cheap foods, when one remembers the expensive delicacies they had previous eaten, one can still remain happy. Similarly, the talks that have been heard from the Satpurush, the happiness from the darshan, and prasādi that has been obtained should be remembered when one has to remain separated from him. Learn this method of earning bliss, but never become glum.”

[Brahmaswarup Shri Prāgji Bhakta: 256]

નિરૂપણ

સં. ૧૯૩૮, જૂનાગઢ. જૂનાગઢ મંદિરમાં કળશ ચઢાવવાના હતા, તે પ્રસંગે ભગતજીને આચાર્ય મહારાજે જૂનાગઢ તેડાવ્યા હતા. એક દિવસ જાગા સ્વામીને આસને ભગતજીએ વચનામૃત ગઢડા અંત્ય ૩૭ વંચાવીને વાત કરી, “જેણે મોટાપુરુષ સેવ્યા હોય અને તેની કૃપા થકી એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય તેને તો મોટાપુરુષની સેવા, સમાગમ, લીલાચરિત્ર તથા વાર્તારૂપી અમૃતવાણીની જે ચીજો ખાધી હોય તે યાદ આવ્યા વિના રહે નહીં. અમે અને જાગા ભક્ત સ્વામી થકી તે આનંદ લીધો છે, તે આજે ભેગા મળ્યા છીએ તેથી સંભારીને આનંદ કરીએ છીએ. પણ જેણે ભગવાનનું કે મોટાપુરુષનું સુખ જાણ્યું નથી અને અનુભવ્યું નથી તેને તે શું સાંભરે? એ તો સત્સંગમાં છે તો પણ પશુ જેવા છે. એવું સુખ એક જ વખત લીધું હોય અને પછી પ્રારબ્ધાનુસારે એવો યોગ ન રહે, તો પણ એવો ભક્ત પોતાને જે સુખ મળ્યું હોય તેને સંભારીને પણ સુખિયો રહે, પણ દુઃખિયો તો કોઈ દિવસ થાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૧૮૬]

Samvat 1938. Junāgadh. The kalash of Junāgadh mandir were being placed on the spires. Āchārya Mahārāj had called Bhagatji Mahārāj for this event. One day, Bhagatji Mahārāj had Vachanāmrut Gadhadā III-37 read in front of Jāgā Swāmi and said, “One who has served a Motā-Purush and has achieved ekāntik dharma will certainly remember serving the Motā-Purush, his talks, his divine incidents, etc. just as one remembers the delicacies one has eaten in the past. I and Jāgā Swāmi has gained that bliss of Gunātitānand Swāmi, such that today as we are together, we enjoy that bliss. However, one who has not understood or experienced the bliss of God and the Motā-Purush will remember no such thing. They are like animals in Satsang. If one has obtained such bliss just once, and due to some prārabdh karmas one does not have the company of a Motā-Purush, he will remain happy remembering that bliss, but will never become unhappy.”

[Brahmaswarpu Prāgji Bhakta: 186]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase